માહિતી

સામાન્ય માનવી કોઈ પણ પ્રકારના આર્થિક બોજાનો ભાર અનુભવ્યા વિના ગંભીર બિમારીઓની આધુનિક સારવાર લઈ શકે તે માટે ભારત સરકાર દ્રારા નાગરિકોને “આયુષ્યમાન ભારત “ – પ્રધાનમંત્રી જન આરોગ્ય કાર્ડ દ્રારા આરોગ્ય સૂરક્ષા પાડવામાં આવે છે ભારત સરકારશ્રી દ્રારા હાલમાં ૨૨ ઓગસ્ટથી ૧૦ સપ્ટેમ્બર સુધી આયુષ્યમાન કાર્ડકાઢી આપવા માટે ઝુંબેશ શરૂ કરવામાં આવી છે. ભારત સરકાર દ્વારા વર્ષ ૨૦૧૮- ૧૯ નાં બજેટમાં ”આયુષ્યમાન ભારત પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજનાની જાહેરાત કરવામાં આવેલ, સામાજિક, આર્થિક અને જાતિ આધારિત સર્વેક્ષણ ૨૦૧૧ (SECC ૨૦૧૧ - આ ડેટા તલાટી કમ મંત્રી પાસે હસે ) હેઠળ નોંધાયેલા અને નિયત માપદંડો ધરાવતા પરિવારોને વાર્ષિક રૂ|.૫,૦૦,૦૦૦/- (પાંચ લાખ) સુધીનું આરોગ્ય કવચ પૂરૂ પાડવામાં આવે છે. આ યોજના ૨૫ સપ્ટેમ્બર, ૨૦૧૮ ના રોજ શરૂ કરવામાં આવી છે. ભારત સરકારનાં સ્વાસ્થ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલય દ્વારા રાષ્ટ્રીય સ્વાસ્થ્ય સુરક્ષા મિશન તરીકે શરું કરવામાં આવેલ આ યોજના આયુષ્યમાન ભારતનું સંચાલન રાષ્ટ્રીય સ્તરે નેશનલ હેલ્થ એજન્સી અને રાજ્ય સ્તરે સ્ટેટ હેલ્થ એજન્સી કરશે. આયુષ્યમાન ભારત યોજના દેશનાં ૫૦ કરોડ જેટલાં ગરીબ લોકોની સ્વાસ્થ્ય સુરક્ષાને આવરી લેતી વિશ્વની સૌથી મોટી સ્વાસ્થ્ય યોજના બની છે. આયુષ્માન ભારત યોજના ને પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના પણ કહેવામાં આવે છે. આયુષ્માન ભારત યોજનામાં, આરોગ્ય મંત્રાલય દ્વારા ૧૩૫૦ પેકેજોનો સમાવેશ કરવામાં આવ્યો છે,

કોણ લાભ લઇ શકશે ?

ભારત સરકાર દ્વારા વર્ષ ૨૦૧૧- ૧૨ માં હાથ ધરાયેલ સામાજિક- આર્થિક સર્વેક્ષણ મૂજબ જે પરિવારોને ગરીબી રેખા હેઠળ સમાવેશ કરવામાં આવ્યો છે આ ડેટાની માહિતી તમને ગ્રામ પંચાયત માંથી મળી રહેશે. ગુજરાતનાં ૪૪ લાખથી વધુ ગરીબ- વંચિત પરિવારના ૨..૨૫ કરોડ નાગરિકોને 100 ટકા સરકારી ખર્ચે સારવારનો લાભ મળશે.

લાભ માટે જરૂરી દસ્તાવેજો :-

આધારકાર્ડની નકલ , આવકનું પ્રમાણપત્ર અને જાતિનું પ્રમાણપત્ર , અન્ય કોઈ પ્રમાણપત્ર, ઉમરના પૂરાવા દસ્તાવેજ , રેશનકાર્ડ, મોબાઈલ નંબર કાર્ડ કઈ જગ્યાએથી બનાવવી આપશે :- તમામ દસ્તાવેજો લઈને નજીકના કોમન સર્વિસ સેન્ટર , ઇ-ગ્રામ પંચાયત ખાતે વી. સી. ઇ દ્રારા , યોજના સાથે સંકળાયેલ હોસ્પિટલમાં જઈને, નજીકના પી. એચ.. સી , સી.. એચ.સી સેન્ટર ખાતેથી આ કાર્ડ કઢાવી શકો છો

કોઈ જાતિગત-આવક-ઉંમર મર્યાદા છે?

આયુષ્યમાન ભારતમાં કોઈ જાતિગત મર્યાદા રાખવામાં આવી નથી. જેમની વાર્ષિક આવક ઓછી છે અને ગરીબી રેખા હેઠળ જીવતા પરિવારમાં સમાવેશ કરવામાં આવ્યો છે તે, જેઓ નાના તેમજ કાચા ઘરમાં રહે છે, ઘર વિહિન છે, ઉપરાંત તમામ પ્રકારનાં શ્રમિકો અને દિવ્યાંગોને આ યોજનાનો લાભ મળશે. આવો પરિવાર કોઇપણ જાતિ કે વર્ગનો હોય તે તમામને આયુષ્યમાન ભારતનો લાભ મળશે. આ ઉપરાંત બીપીએલ કાર્ડ ધારક અનુસુચિત જાતિ, જનજાતિ અને વિચરતી અને વિમુક્ત જાતિઓનો સીધો સમાવેશ કરવામાં આવ્યો છે. પરિવારની વ્યક્તિઓની સંખ્યામાં અને ઉંમરમાં કોઈ મર્યાદા રાખવામાં આવી નથી. પોતાનું નામ લાભાર્થીની યાદીમાં છે કે નહીં, કેવી રીતે જાણી શકાય? આયુષ્માન ભારતની વેબસાઈટ https://mera.pmjay. gov.in/search/login માં પોતાનો મોબાઈલ નંબર, રેશનકાર્ડ નંબર અથવા નામ સર્ચ કરીને પોતાનો સમાવેશ થયો છે કે નહિ તે જાણી શકશે. આ ઉપરાંત હેલ્પલાઈન નંબર 14555 અને 1800 111 565 પર કોલ કરવાથી સરળતાથી માહિતી ઉપલબ્ધ થશે.

કેવી રીતે લાભ મળશે ?

આ યુ ષ્માનભારતની વેબસાઈટમાં જે લાભાર્થી યાદીમાં સમાવેશ કરવામાં આવ્યો છે એ લાભાર્થી આયુષ્યમાન ભારત સાથે જોડાયેલી કોઇપણ સરકારી ખાનગી હોસ્પીટલમાં યોજનાનો લાભ મેળવી શકશે. હોસ્પિટલમાં દાખલ થતાં સમયે આધારકાર્ડ , રેશનકાર્ડ, સ્માર્ટકાર્ડ કે આયુષ્યમાન કાર્ડબતાવવું જરૂરી છે. આયુષ્યમાન કાર્ડ સ્ટેટ હેલ્થ એજન્સી દ્વારા તેમજ આયુષ્યમાન મિત્ર દ્વારા કાઢી આપવામાં આવશે. આયુષ્માન મિત્ર કરશે મદદ આયુષ્યમાન ભારત સાથે જોડાયેલી તમામ સરકારી અને ખાનગી હોસ્પીટલમાં આયુષ્યમાન મિત્રની નિમણુંક કરવામાં આવી છે જે દર્દીનાં દાખલ થવાથી ડીસ્ચાર્જ થવા સુધીની તમામ પ્રક્રિયાઓ પૂર્ણ કરવામાં મદદ કરશે. ઉપરાંત હોસ્પિટલ, સરકાર અને વીમા કંપની વચ્ચેકડીનું કામ કરશે. કઈ હોસ્પિટલમાં લાભ મળશે ? આયુષ્યમાન ભારત યોજના સાથે જોડાયેલ દેશની તમામ સરકારી અને હોસ્પિટલમાંથી આયુષ્યમાન ભારત યોજનાનો લાભ મળશે. આયુષ્માન ભારત યોજનામાં 8 હજાર હોસ્પિટલોનું જોડાણ પૂર્ણ થઇ ચૂક્યું છે અને 20 હજાર હોસ્પિટલોને જોડવાનું સરકારનું લક્ષ્ય છે. જેથી દેશનાં રાજ્યોમાં કોઇપણ ખુણામાં રહેતો ગરીબ પરિવાર પોતાનાં ઘર નજીક સ્વાસ્થ્ય સેવાઓ પ્રાપ્ત કરી શકશે. ગુજરાતમાં 1700 થી વધુ સરકારી અને ખાનગી હોસ્પિટલોમાં આયુષ્યમાન ભારત અંતર્ગત સારવાર પૂરી પાડશે. અને તમે આ લિસ્ટ આયુષ્યમાન ભારતની વેબસાઇટ પર ઓનલાઈન જોઇ શકો છો

ક્યાં રોગો-સર્જરીની સારવાર મળશે

આયુષ્માન ભારતમાં કુલ 1350 પ્રકારની સર્જરી, તપાસ અને પ્રોસીજરનો લાભ મળશે. દેશનાં પ્રત્યેક ગરીબ નાગરિકને મોટી બીમારીઓ અને મોટા ઓપરેશન તેમજ હોસ્પિટલમાં ક રવામાં આવતી પ્રક્રિયાનો વિનામૂલ્યે લાભ મળશે. ઓપરેશનમાં બાયપાસ સર્જરી, મોતીયો, કોર્નિયલ ગ્રફ્ટીંગ, ઓર્થોપ્લાસ્ટી, છાતીમાં ફ્ક્ચર, રે યુરોલોજીકલ સર્જરી, સીઝેરીયન ડીલીવરી, ડાયાલીસીસ, સ્પાઈન સર્જરી, બ્રેન ટ્યુમર સર્જરી તેમજ ક ેન્સરની વિવિ ધ સર્જરીઓ સર્જરીઓનો સમાવેશ કરવામાં આવ્યો છે.


આરોગ્ય સેતુ #સરકારી યોજના #માં કાર્ડ #પ્રધાનમંત્રી યોજના #કેવી રીતે કઢાવવું #